ગુજરાત સરકારની પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY) નો વિશ્લેષણાત્મક અભ્યાસ

Authors

  • RITA DAMODARA

Keywords:

પ્રધાનમંત્રી આવાસ યોજના,, PMAY,, CLSS,, કલ્યાણલક્ષી યોજના,, ડીજીટલ ઇન્ડિયા

Abstract

વિશ્વના ફલક પર પ્રાચીન કાળથી જ ભારત હંમેશને માટે પોતાની આગવી વિશિષ્ટતા ના કારણે આકર્ષણનું અને ચર્ચાનું કેન્દ્રબિંદુ રહ્યું છે. ભારતીય સંસ્કૃતિ પહેલેથી જ વ્યક્તિ અને વ્યક્તિત્વ ના અર્થમાં વિચારશીલ રહી છે. ‘વસુધૈવ કુટુમ્બકમ’ થી લઈને ડીજીટલ ઇન્ડિયા તરફની યાત્રા માં અર્થતંત્ર એ મહત્વનો ભાગ ભજવે છે. તેના દરેક પાસા દર્શાવે છે કે દેશના તમામ નાગરિકોને જીવન જરૂરિયાતની બધી જ આવશ્યકતાઓ ફળીભૂત થવી જોઈએ અને તેથી જ દેશની અને રાજ્યની તમામ સરકાર જનકલ્યાણના કાર્યક્રમો અને યોજનાઓ હાથ ધરે છે.

ભારતમાં અંદાજે ૭ કરોડ જેટલા લોકો પાસે રહેવા માટે પોતાનું ઘર નથી, અને તેથી જ સરકારની કલ્યાણલક્ષી યોજનાઓ માં જે આગળની હરોળમાં કહી શકાય તેવી યોજનામાં પ્રધાનમંત્રી આવાસ યોજના એ મોખરાનું સ્થાન ધરાવે છે. પ્રધાનમંત્રીશ્રી ની એવી નિષ્ઠા છે કે જે કામ છેલ્લા ૭ દશકામાં નથી થયું તેને આવનારા ૭ થી ૮ વર્ષોમાં પૂર્ણ કરવું છે અને દરેક માનવને ઘરનું ઘર મળે તે ઉચ્ચ હેતુથી ૨૫ જૂન, વર્ષ ૨૦૧૫માં પ્રધાનમંત્રી આવાસ યોજના ની શરૂઆત કરવામાં આવી.

Downloads

Download data is not yet available.

References

Additional Files

Published

30-06-2021

How to Cite

RITA DAMODARA. (2021). ગુજરાત સરકારની પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY) નો વિશ્લેષણાત્મક અભ્યાસ. Vidhyayana - An International Multidisciplinary Peer-Reviewed E-Journal - ISSN 2454-8596, 6(6). Retrieved from http://j.vidhyayanaejournal.org/index.php/journal/article/view/550